સેલ્ફી બની બે મિત્રોના કરુણ મોતનું કારણ: અમદાવાદ પરત ફરતી વખતે બોરીસણા ગામ નજીક આવેલી નર્મદા કેનાલના ધોધની લીધી હતી મુલાકાત
- 13 May, 2024
હાલ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવાની ઘેલછામાં ખાસ યુવાનો ફોટો અને રીલ બનવવા માટે પોતાના જીવની પણ પરવા કરતાં નથી. આવો જ એક બનાવ રવિવારે અમદાવાદના ચેનપુર ખાતે રહેતા કૌશિકભાઈ રાવત પરિવાર સાથે બન્યો હતો. તેઓ રવિવારે કડીના મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા પરિવાર સાથે ઇકો ગાડી લઈને આવ્યા હતા. માતાજીના દર્શન કર્યા પછી કૌશિકભાઇ તેમના પત્ની, બે બાળકો અને મિત્રો અમદાવાદ પરત ફરી રહ્યાં હતા. ત્યારે તેમને કડીના બોરીસણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના પડતા ધોધને જોવાનો વિચાર આવ્યો હતો. તેના પગલે તેમણે ધોધની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન કૌશિકભાઈ કેનાલમાં ઉતરીને સેલ્ફી ક્લિક કરી રહ્યાં હતા, જોકે અચાનક જ તેમનો પગ લપસી જતા તેઓ પાણીમાં ગરકાવા થઈ ગયા હતા. આ ઘટના જોતા જ કૌશિકભાઈને બચાવવા તેમના મિત્રએ પાણીમાં ડુંબકી લગાવી હતી. જોકે તે કૌશિકભાઈને બચાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને પોતે પણ પાણીમાં ડૂબી ગયો હતો. જોકે બાદમાં સ્થાનિક તરવૈયાઓએ લાશની તપાસ હાથ ધરી હતી પરંતુ તેમને મોડી સાંજ સુધી બંનેની લાશ મળી નહોતી. બાદમાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને પોલીસ આવી પહોંચી હતી. જોકે બંને વ્યક્તિઓને લાશ મળી શકી નહોતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ